શિક્ષકોની ભરતીને લઇને આવ્યા Breaking News, 7500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે

શિક્ષકોની ભરતી માટે આવ્યા છે મહાન સમાચાર, 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે: શિક્ષક ભરતી 2024-TET-TAT ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષકોની ભરતીને લઇને એક ખુશખબર આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આવતા ત્રણ મહિનામાં 7,500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

7,500 શિક્ષકોની કાયમી ભરતીનો નિર્ણય

ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

3,500 માધ્યમિક શિક્ષકોની ભરતી

આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT-Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી થશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10ની સરકારી શાળાઓમાં 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ ઉમેદવારોની ભરતી થશે.

4,000 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી

ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12માં સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં 3,250 એમ કુલ 4,000 TAT-Higher Secondary પાસ ઉમેદવારોની ભરતી થશે.

ગુજરાતમાં TET અને TATની પરીક્ષા પાસ કરીને પણ અનેક ઉમેદવારો બેરોજગાર છે, કારણ કે સરકાર તેમને જ્ઞાન સહાયક તરીકે નિમવા મુંકાઈ છે. 3.83 લાખથી વધુ ઉમેદવારો બેકાર છે. આ આંદોલન અને માગણીઓ વચ્ચે સરકાર હવે નમ રહી છે.

ગત વર્ષે એકપણ ભરતી નહીં થઈ

શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં કબૂલ કર્યું હતું કે TET-1 પાસ 39,395 અને TET-2 પાસ 2,35,956 ઉમેદવારો છે. માધ્યમિકમાં TAT 75,328, માધ્યમિક દ્વિસ્તરીય TAT 28,307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15,253 ઉમેદવારો પાસ થયા છે. કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારો શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પાસ કરી ચુક્યા છે. ગયા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી થઈ છે તે પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે 2022માં TET-1 પાસ 2,300 અને TET-2 પાસ 3,378 ઉમેદવારોની ભરતી થઈ છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી નથી. 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભરતી થઈ નથી.

જ્ઞાન સહાયકોની નિમણૂક

રાજ્યના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5,985 જગ્યાઓ માટે 4,138 ઉમેદવારોને જ્ઞાન સહાયક તરીકે નિમવા મુંકવામાં આવ્યા છે. જ્ઞાન સહાયકના માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ 24,000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. આ નિમણૂકો નવેમ્બર 2023માં થઈ હતી અને તેમને વેતન ચૂકવાયું છે. માસિક વેતન વિલંબથી મળવાનો આક્ષેપ સરકાર દ્વારા ફગાવાયો છે.

Leave a Comment


(adsbygoogle = window.adsbygoogle || []).push({}); (adsbygoogle = window.adsbygoogle || []).push({});